Views Navigation

Event Views Navigation

Today
  • સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો, આ પાવન અવસરે ઉપસ્થિત રહી પૂજ્ય સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી 75 વર્ષ પહેલા ગુરૂકુળની સ્થાપના કરાઇ હતી. જ્યારે કાલખંડમાં દુનિયાનાં દેશોની

  • “દિકરી જગત જનની” કાર્યક્રમ

    “દિકરી જગત જનની” કાર્યક્રમ અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પી.પી.સવાણી અને જ્હાનવી લેબગ્રો ગૃપ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં પિતાની છત્રછાયા ગુમાવનાર 300 દિકરીઓનાં કન્યાદાનનાં શુભ અને પાવન ક્ષણોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મેળવી ધન્યતા અનુભવી. પ્રભુતામાં પગલાં પાડનારા સર્વ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. કેન્દ્રીય-રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,

  • નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

    ગુજરાતનાં અગ્રેસર વિકાસને વધુ વેગવંતો બનાવવાનાં છે એ સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં સૌને શુભેચ્છાઓ પાઠવવાનો દાહોદ ખાતે અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહ

    પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતિનાં અવસરે સુરત ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવ્યા પછી કાર્યકર્તાશ્રીઓની જવાબદારી વધી છે. સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા અને મતદાતાશ્રીઓને નતમસ્તક વંદન

  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી

    અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું. આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો

  • ‘પ્રદેશ સમીક્ષા બેઠક’

    આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ સમીક્ષા બેઠક’ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મોરચા અને સેલના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય

    ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવનાં ધની એવા સુભાષચંદ્ર બોઝજીએ દેશને આઝાદી અપાવવા જે પુરૂષાર્થ કર્યો એ સોનેરી અક્ષરે ઇતિહાસમાં લખાયો છે. આજની નવી પેઢીનાં યુવાનો એમનાં જીવનમાંથી પ્રેરણા લઇ દેશને આત્મનિર્ભર અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ બનાવશે એનો મને વિશ્વાસ છે. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું

  • સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

    23 અને 24મી જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક તેમજ ગત દિવસોમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠક અંગે સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન

    શિયાળાની હૂંફાળી સવારે ખૂબ મોટી સંખ્યામાં સાયકલોથોનમાં ભાગ લેવા આવેલા બાળકો, યુવાનો અને સુરતવાસીઓને જોઇ ખૂબ આનંદ થયો. સાયકિલસ્ટ્સની સંખ્યા વધે અને વધુ ને વધુ લોકો સાયકિલંગ તરફ વળે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ડ લિમિટેડ દ્વારા યોજાયેલી સાયકલોથોનમાં

  • સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત

    સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ અપેક્ષિત ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.