Views Navigation

Event Views Navigation

Today
  • આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા ‘સંવિધાન દિવસ પરિસંવાદ’ માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું.

    આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા 'સંવિધાન દિવસ પરિસંવાદ' માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • “કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”

    “કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!” આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. ધારાસભ્ય શ્રી Sangita Patil જી, શ્રી Sandip Desai જી, મેયર શ્રી Daxesh Mavani જી, શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી,

  • વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ….

    વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ…. દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન

  • કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….

    કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો

  • “સ્વચ્છતા એ જ સંકલ્પ”

    “સ્વચ્છતા એ જ સંકલ્પ” આજે સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારી જીલ્લા ખાતે "સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી" અભિયાનનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત”નાં સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું. રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ

  • નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી.

    આજે નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી. સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી આર. સી.પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો

  • ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

    ઓલપાડ વિધાનસભા ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવનારી લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનું આહવાન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,

  • કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન 🙏

    કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન સુરત ખાતે ૧૬૫ - મજુરા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આજે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. નવું વર્ષ એમનાં જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે અને જનસેવા, રાષ્ટ્રસેવાની કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બનતી રહે એવી પ્રાર્થના કરી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત શહેર અધ્યક્ષ શ્રી

  • “વિકસિત ભારત એ જ સંકલ્પ”

    “વિકસિત ભારત એ જ સંકલ્પ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત જીલ્લાનાં પૂણા વિસ્તારમાં યોજાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં ઉપસ્થિત રહી સર્વ લાભાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શાસક

  • સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો

    સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત રહેલા ફેરિયાશ્રીઓ અને એમનાં પરિવારજનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાની પ્રાપ્તિ કરી. ફેરિયાઓ આપણાં રોજબરોજની જીંદગીને વધુ સરળ અને સુચારુ બનાવે છે. સૌને વંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,