Views Navigation

Event Views Navigation

Today
  • દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા

    સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાનાં સંયુક્ત ઉપક્રમે રૂપિયા 72 લાખ 72 હજારની રાષિમાંથી 7272 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા, આ પ્રસંગે હાજરી આપી, સર્વ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ભરૂચ જીલ્લા અધક્ષ શ્રી મારૂતિસિંહ અટોદરિયા,નર્મદા જીલ્લા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ પટેલ,

  • ‘સાગર પરિક્રમા – 2022’

    સુરતના ભટલાઈ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો 'સાગર પરિક્રમા - 2022' કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એલ.મુરુગનજી, શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સાગરખેડુઓ ઉપસ્થિત રહ્યાં.

  • “અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન”

    ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત "અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન" કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ. જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાઝા, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી માન.સાધ્વી નિરંજન જ્યોતિજી, ગુજરાત સરકારના માન.મંત્રીશ્રીઓ શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્યશ્રીઓ તેમજ રાષ્ટ્રીય તથા

  • પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ સહ પ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર

  • નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ

    નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સાંસ્ક્રુતિક સેલના સંયોજકશ્રી જનકભાઈ ઠક્કર, શ્રી યોગેશદાન ગઢવી સહિત કલા જગતના

  • આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ,

  • નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત

    નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

  • ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

    ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.