Views Navigation

Event Views Navigation

Today
  • “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત

    આપણાં દેશનાં વીરોનાં પુણ્ય સ્મરણ કાજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત રહી વીરોને વંદન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો. આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાજપ

  • “બનાસકાંઠા મહા સંમેલનમાં”

    આજે નવસારી ખાતે યોજાયેલા “બનાસકાંઠા મહા સંમેલનમાં” ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. વિશાળ જનમેદની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આ મહાસંમેલનમાં બનાસકાંઠાનાં મૂળ નિવાસી અને હાલ નવસારી ખાતે રહેતા વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી જનકભાઇ બગદાણા,

  • “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશમાં માટી અર્પણ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું

    આજે નવરાત્રિનાં પ્રારંભે રાજકોટ મહાનગર ખાતે મા નવદુર્ગાનાં પૂજનમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મા દુર્ગાને સમસ્ત જનની સુખાકારી માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશમાં માટી અર્પણ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સાંસદશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ

  • રાજકોટ ખાતે નવનિર્મિત ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

    રાજકોટ ખાતે નવનિર્મિત ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલની મદદથી રાજકોટનાં નાગરિકોને આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થશે એનો આનંદ છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

    લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

  • શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી.

    રાજકોટ સર્વ ધર્મ સમિતિ દ્વારા ઉદ્યોગ ઋષિ શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી. આ રક્ત દાન મહોત્સવમાં 4000 યુનિટ રક્ત એકત્ર થયું અને એક રેકોર્ડ સર્જાયો, આવો રેકોર્ડ માનવજાત પરનાં વિશ્વાસને વધારે પાક્કો કરે છે. આ કાર્યક્રમ દ્વારા અનેક લોકો જનસેવાની પ્રેરણા લે એવી અપીલ કરી. શ્રી મૌલેશભાઇને જન્મદિવસ

  • આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન

    માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતનાં દરેક જીલ્લામાં ભાજપાનાં કાર્યાલયનાં નિર્માણનો સંકલ્પ આપ્યો હતો, આ સંકલ્પને સાકાર કરવા આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કર્યું. દેશનાં તમામ જીલ્લાનાં કાર્યકર્તાઓએ શ્રેષ્ઠ કાર્યાલયનું મોડલ જોવું હોય તો સુરેન્દ્ર નગર આવવું પડે. આ કાર્યાલયનાં શ્રેષ્ઠ નિર્માણ

  • મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું

    આજે મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાર્યાલય એ જનસેવાને જન-જન સુધી પહોંચાડવાનું એક સરનામું છે ! ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તા જનસેવાનાં યજ્ઞમાં પોતાનું પૂર્ણ યોગદાન પાઠવી રહ્યા છે, જેનો મને અપાર આનંદ છે. આ પ્રસંગે મોરબીનાં કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી ધન્યતા અને આનંદની લાગણી અનુભવી. પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી

  • ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી.

    આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી. ખેડૂત સંઘની કામગીરી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, ગ્રાહકો, સભાસદો, મંડળીના પ્રતિનિધિઓનાં સહકાર અને અથાક પરિશ્રમથી ખેડૂત સંઘની કામગીરી તમામ ક્ષેત્રે સફળ રહી છે, જે અંગે તમામ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી

  • “રક્તદાન એ મહાદાન!”

    “રક્તદાન એ મહાદાન!” યંગ ફેડરેશન આયોજિત મહા-રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને વંદન કર્યા. રક્તદાન એ જીવતદાન પણ છે-કોઇની જીંદગીમાં જીવનદીપ પ્રજ્વલિત કરી આપતા રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે ! આ મહાદાન માટે સૌને અભિનંદન પાઠવ્યા.