દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા દિવ્યાંગોનાં સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી. સૌ દિવ્યાંગો સાથે પસાર કરેલો સમય સદાય યાદ રહેશે. ગૃહ
નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કર્ણાવતી યુનિવર્સીટી ખાતે યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ પટેલ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યાં.
આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી અરુણસિહ રાણા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિ સિંહ અટોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.