વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..
આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે. જય શ્રી રામ
આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે. જય શ્રી રામ
સ્વચ્છતામાં છે હરિનો વાસ…. આવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતામાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે. આજે નવસારી ખાતે સરસ્વતી મંદિરની સાફસફાઇમાં શ્રમદાન કરતા ખૂબ સંતોષની લાગણી અનુભવી. #SwachhTeerth
આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે ઉધના ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની સ્વચ્છતામાં શ્રમદાન આપી પરમ સંતોષ અનુભવ્યો. સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી. #SwachhTeerth
तापी तापी महा तापी, तापी पाप निवारणी, अषाढी जन्म शताब्दी, सूर्य पुत्री नमस्तुभ्यं।। પ્રભુ શ્રી રામ નિજમંદિરે બિરાજીત થયા એ ઉત્સવને વધાવવા સુરતનાં સાકેત અને પ્રતિભા ફાઉડેશન દ્રારા મા તાપીને રામાયણનાં વિવિધ પ્રસંગો પ્રિન્ટ કરાયેલી 108 મીટર લાંબી સાડી અર્પણ કરાઇ. આ પ્રસંગે 108 ઋષિકુમારો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના
ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર જીતનું એક જ નામ મોદી સરકાર આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીનાં વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સહિત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું. એકસાથે 26 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરનાર ગુજરાત દેશનું
राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥ સુરત ખાતે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આયોજીત યોજાયેલી પ્રભુ શ્રી રામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામને મનોમન હજારો વંદન પાઠવ્યા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા, સૌની રામભક્તિને પ્રણામ #jayshreeramRam #AyodhyaRamTemple
આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી. ડોકટર્સ ઇશ્વરનું બીજું સ્વરૂપ મનાય છે, પોલીસ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપીને અનોખો રેકોર્ડ સર્જવા બદલ અને ડો.ધર્મેન્દ્ર ગજ્જર અને ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવ્યા. ડોક્ટર સેલમા ટીમે કુપોષિત
આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી 'પ્રદેશ બેઠક'ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી “નવમતદાતા સંમેલન”માં દેશભરનાં યુવા મતદારોને સંબોધિત કર્યા ત્યારે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઉપસ્થિત 11 હજારથી વધુ નવમતદારોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી. આ યુવાનો હવે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી દેશનાં ઘડતરમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવાનાં છે એ બદલ એમને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા. આ
મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ. આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. અધિકાર જ નહીં, કર્તવ્યને પણ ધ્યાનમાં રાખી ભારતનાં નાગરિકો, યુવાનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહ્યા