Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે જ છે, પણ અન્ય પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પણ “મોદી ગેરંટી”માં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે એ સૌ ભાજપામાં જ જોડાય છે!! આજે સુરતનાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપનાં હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને એમનાં

“વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન

મોદીનો પરિવાર બહુ મોટો છે અને મોદી માટે એમનાં પરિવારનાં સભ્યોનાં સૂચનો પણ એટલા જ મહત્વનાં છે !! આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર માટે સૂચન અભિયાનનો શુભારંભ કરાવી “વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાંથી ભાજપાનાં સંકલ્પ પત્રો માટે સૂચનો એકત્રિત કરાશે.

મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર….

મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર…. આજે દેશ અને સમગ્ર દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે કામ થવાની ગેરંટી !!! મોદી જે બોલે છે એ કરીને બતાવે છે-મોદીની આ ગેરંટી, મોદી પરનાં આ વિશ્વાસને કારણે મોદીનું પરિવાર ખૂબ વિશાળ છે અને વધુ વિશાળ બનતું જાય છે ! આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને

વધુને વધુ વિશાળ બની રહ્યું છે મોદી પરિવાર….

વધુને વધુ વિશાળ બની રહ્યું છે મોદી પરિવાર…. આજે અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં આગેવાનશ્રીઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા, મોદી પરિવારમાં સૌને આવકાર્યા. ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત જીતવા જઇ રહ્યા છીએ ત્યારે 26 બેઠકોમાં ગુજરાત એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરે અને દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે

આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!!

આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!! લોકસભાની કાર્યપદ્ધતિ યુવાનો સમજે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપે એ હેતુથી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલી યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત

આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે !

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું.

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવાને જીવનનો મૂળ મંત્ર બનાવી જ્યારે સેવાનાં યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘આશ્રમભૂમિ વંદના’ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.

વૈષ્ણવજન તો તેને રે કહીએ…. જે પીડ પરાઇ જાણે રે…. ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગુજરાત મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ પણ છે !! આજે દાંડીકૂચ દિવસનાં પુણ્ય અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘આશ્રમભૂમિ વંદના’ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. સાબરમતી આશ્રમનાં પાયામાં ગાંધીજીનાં અગિયાર વ્રતો રહેલા છે, સત્ય અને અહિંસાનાં

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો, અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી. ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો અને સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક દિવસનાં સાક્ષી બનવાનું પરમ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાબરમતી આશ્રમની મુલાકાત લઇ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું અને સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. આ ધન્ય પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડયું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાબરમતી આશ્રમની મુલાકાત લઇ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું અને સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. આ ધન્ય પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડયું.