“શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા પ. પૂ શ્રી પ્રફુલભાઈ શુક્લના કંઠે ભગવદ કથા”
કુરુક્ષેત્ર ધામ, જહાંગીરપુરા -વરીયાવ રોડ, રાંદેર, સુરત.
કુરુક્ષેત્ર ધામ, જહાંગીરપુરા -વરીયાવ રોડ, રાંદેર, સુરત.
એ-૭૭-૭૮, સુથાર ફળિયું, આસપાસ મંદિરની પાસે, ગોડાદરા, સુરત.
સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલા સ્પોર્ટસ કાર્નિવલ અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. CREDAI અમદાવાદ અને GIHEDનો ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. નવા વર્ષના કેલેન્ડર તેમજ ડાયરી લોન્ચ કરી અને મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ કર્યું. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપ સિંહજી વાઘેલા , કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય
અગ્રસેન ભવન, સીટીલાઈટ, સુરત.
અમદાવાદ
આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ચર્ચા કરી.
આઈશ્રી કામઈ ધામ ખાતે યોજાનાર સમરસ સમર્પણ વંદના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ત્યારે સુરતથી શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની વિશેષ ઉપસ્થિતિ સાથે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત' રાષ્ટ્રીય ગ્રાહક દિવસ'ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.