-
-
-
શ્રી શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, સુરત આયોજિત 25 મો સમુહલગ્ન મહોત્સવ
આઈ માતા ફાર્મ, અવસર ફાર્મની બાજુમાં, સરથાણા BRTS રોડ, સુરત
-
SMC સંકલન
મુખ્ય કચેરી રૂમ નં. ૮૮, મીટીંગ હોલ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત.
-
વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. “ દિવ્ય કાશી ભવ્ય કાશીના ” સંયોજક અને પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી સહિત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ
-
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તેમજ મહાનગર અને જિલ્લાના પ્રભારીશ્રીઓની બેઠક યોજી.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા.
-
ભીમ કથાકાર શ્રી આનંદ કુમાર સ્વનાથ 500 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
સૌનું સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજા,પ્રદેશના સહ-પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
-
પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઇ કસવાળાએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી અને કલાસેતુ દ્વારા ગુજરાતનાં કલાકારોની સંપર્ક ડિરેક્ટરી તૈયાર કરી છે, જેનું લોકાર્પણ કર્યું.
ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, ઓબીસી મોરચાના ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ ગઢવી, સાંસ્કૃતિક સેલના સંયોજનક બિહારીલાલ ગઢવી તેમજ ગુજરાતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
-
સમૂહ લગ્ન
પ્લોટ નં ડી-૦૨, ગુજરાત હીરા બુર્સ, જેમ્સ & જ્વેલરી પાર્ક, જી આઈ ડી સી પાણીની ટાંકી પાસે, ઓએનજીસી રોડ, ઇચ્છાપોર, સુરત શ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ હરિકૃષ્ણ ગ્રૂપ દ્વારા યોજાયેલા નવમા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી. નવ-દંપતિઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવ્યા.
-
સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા “નાર્યસ્તુ વંદના” કાર્યક્રમ
ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડાજીનાં સ્મરણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા "નાર્યસ્તુ વંદના" કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ત્રણ દિકરીઓનું સન્માન કર્યું અને ૪૪૫૦ ગંગા સ્વરૂપ બહેનોને સરકારી યોજનાનો આપવામાં આવ્યો. આ કાર્યક્ર્મમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ
-
બિપીન રાવતજી અને સર્વ શહીદો માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા જનરલ બિપીન રાવતજી, એમના પત્ની મધુલિકા રાવતજી તેમજ 13 વીર શહીદ યોદ્ધાઓ માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી, બિપીન રાવતજી અને સર્વ શહીદોને વંદન કર્યા. કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભાજપ સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, નિવૃત્ત સૈનિકશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.