Views Navigation

Event Views Navigation

Today
  • રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ

    રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ. આ રાખડીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા વિશેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનોને અભિનંદન પાઠવ્યા. એમની રાખડીઓનાં પવિત્ર બંધનનો સહૃદય

  • પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી. મિડીયાની કામગીરીને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત મીડિયા વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

  • શંખનાદ “વિજય”નો… શંખનાદ “ભરોસા”નો… શંખનાદ “વિશ્વાસ”નો…

    શંખનાદ “વિજય”નો… શંખનાદ “ભરોસા”નો… શંખનાદ “વિશ્વાસ”નો… આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આઈ.ટી. સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અમિત માલવીયાજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલી આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગની વિશેષ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રભારી શ્રી

  • હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું

    હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું, આ પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારશ્રીઓને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો. સુરતમાં જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ઘણું કામ થઇ રહ્યું છે, સુરતની જ્વેલરી ભારત દેશમાં તો ખરી જ પણ દુનિયાનાં જુદા જુદા દેશોમાં પણ એક્સપોર્ટ કરાય છે એ

  • આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

    આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં 'મતદાતા ચેતના અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો. વધુ માહિતી

  • છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત સંગઠનનો પાયો ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંસ્કારનાં સંકલ્પને પોતાની કર્મશીલતા વડે કાર્યકર્તાશ્રીઓ સાકાર કરી કહ્યા છે. છોટાઉદેપુરનાં કાર્યકર્તાશ્રીઓને મળીને ખૂબ આનંદ અનુભવાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો.

    આજે સુરત મહાનગર ખાતે એઇમ્સ હોસ્પિટલની કેથલેબનું ઉદઘાટન કર્યું, હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સુરત મહાનગરનાં નાગરિકો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રીશ્રીનાં વિચારોમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

  • અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો

    આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે

  • આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું

    આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી. સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.

  • માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે. આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય