‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા Footer

‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા

આજે નવસારી ખાતે યોજાયેલા યોજાયેલા ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા. મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને હુકમ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી.
▶️ નવસારી જીલ્લાનાં 1 હજાર કુપોષિત બાળકોને દત્તક લઇ એમને સુપોષિત કરવાનો સંકલ્પ લેવાયો.
▶️ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેક્ટર અને દરેક વર્ગનાં લોકો માટે 180થી વધુ યોજનાઓ બનાવી છે. આ યોજના જન-જન સુધી પહોંચે એ માટે બનાવવામાં આવેલી એપ્લીકેશનને ડાઉનલોડ કરી એનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી.
▶️ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, આ સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લાનાં ટી.બીનાં દર્દીઓ સ્વસ્થ થાય એ માટેની સંપૂર્ણ કાળજી લેવા અપીલ કરી.
▶️ સુપોષણ અભિયાનમાં 17 જેટલી મોટી દૂધની ડેરીઓ, જેમાં ભાજપનાં આગેવાનો પોતાની સેવા આપી રહ્યા છે એમણે 6 મહિના સુધી વિનામૂલ્યે દૂધ આપી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા સામાજિક પહેલ કરી છે એમને અભિનંદન પાઠવ્યા.