આપણાં દેશનાં વીરોનાં પુણ્ય સ્મરણ કાજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત રહી વીરોને વંદન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો.
આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાજપ સુરત મહાનગર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ મૂકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા, ધારાસભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં શહેરીજનો અને કાર્યકર્તાશ્રીઓ જોડાયા.








