આજનો દિવસ ઐતિહાસિક !
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત ખાતે ‘સુરત જીલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના લગભગ 2,00,000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજના લાભનું વિતરણ કર્યું.
ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડયું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોનો એમનાં મોદીજી પ્રત્યેનો સ્નેહ જોઇ આનંદની અનુભૂતિ થઇ.















