માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!”
આજે સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલા આવાસોનાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ફાળવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ લાભાર્થીઓનાં પોતાનાં ઘરનાં સ્વપ્નને સાકાર થયેલું જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે 77.08 કરોડનાં ખર્ચે સાકારિત EWS 54 અને EWS 51નાં 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ફાળવણી કરાઇ.
સૌ લાભાર્થીઓનાં ચહેરા પર પોતાનાં ઘરનાં સ્વપ્નને સાકાર થયાની ખુશી જોઇ આનંદ અનુભવ્યો. સૌને શુભેચ્છાઓ પાઠવી.






