આજે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે “ભારત ટેક્સ 2025” માટે યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
14થી 17મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે ટેક્ષટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમનાં સહયોગથી ટેક્ષટાઇલ મંત્રાલય દ્વારા દિલ્હીનાં ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષટાઇલ એક્ષ્પો યોજાઇ રહ્યો છે, આ એક્સપોમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સુરતનાં ટેક્ષટાઇલનાં વ્યાપારીઓને અપીલ કરી, આ સાથે સૌને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયમાં જનભાગીદારી કરી ભાવિ પેઢીનાં ભવિષ્યને વધુ સલામત બનાવવા આહવાન કર્યું.











