આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ – શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક શ્રી પ્રદીપ મિશ્રાજીના વ્યાસ પીઠે અને મહંત શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજીના સાનિધ્યમાં આયોજિત “શ્રી શિવ મહાપુરાણ કથા” માં ઉપસ્થિત રહી કથા સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.
આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. સ્વસ્થતા એ જીવનની પ્રાથમિકતા છે, આ હોસ્પિટલ થકી કામરેજ અને એની આસપાસ રહેતા નાગરિકોની સ્વસ્થતા અને સુગમતામાં ઉમેરો થશે. હોસ્પિટલનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
જ્ઞાન અને સંસ્કાર પથને ઉજળો બનાવનાર પરમ પૂજ્ય શ્રી અખંડ સ્વામી જીનાં જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનાં લોકાર્પણ સમયે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, અખંડ સ્વામીજીનું જીવન દિવાદાંડી સમાન છે, એમનાં જીવન ચરિત્ર આધારિત પુસ્તક અનેક યુવાનો માટે પથદર્શક સમાન બનશે. આ પ્રસંગ સાધુ-સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ સાંપડયું.
આજે સુરત ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઇ હતી, આ પ્રસંગે સંધ્યા સમયે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા મહાનુભાવો સાથે સ્નેહસભર મુલાકાત અને સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.