ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પહેલા દેશહિતની વાત કરે છે અને પછી રાજ્યની વાત કરે છે-પોતાની વાત ક્યારેય નથી કરતા-આ મૂળભૂત સંસ્કાર પાર્ટીની તાકાત છે. ભારતીય જનતા પાર્ટીનાં સમર્થનમાં આજે જ્યારે ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હોય ત્યારે મને વિશ્વાસ છે કે-જીત તો વિકાસનાં વિશ્વાસની જ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.





