“કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલી “નવસારી નાઇટ રન 2025”માં નવસારીનાં સૌ નગરજનોને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં જળ સંરક્ષણનું આંદોલન દેશભરમાં ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. ક્રાંતિનાં આ મહાયજ્ઞમાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા.
મને વિશ્વાસ છે કે, “જન ભાગીદારીથી જળ સંરક્ષણ” ક્ષેત્રે પણ નવસારીનાં નગરજનો ઇતિહાસ સર્જશે. આવનારી પેઢીને વારસામાં જળ આપીએ, એમનાં ભવિષ્યને સુરક્ષિત બનાવીએ.