આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. આ સમગ્ર આયોજન થકી બ્રામ્હણ સમાજને વ્યાપાર વાણિજ્યનાં માર્ગે આગળ વધવા ખૂબ પ્રોત્સાહન પ્રાપ્ત થશે. જેમણે દેશનાં મંદિરો, સંસ્કારો અને સંસ્કૃતિની સદાય રક્ષા કરી છે એ બ્રામ્હણ સમાજ દેશનાં અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય
કરી રહ્યો છે ત્યારે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા.