માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કોરોના સામેના મહાયુદ્ધમાં આપણાં દેશે 143 કરોડથી પણ વધારે રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.